સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જામનગર ગ્રેઇન માર્કેટનો ટાઈમ યથાવત રહેશે :સવારે ૯ થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે

બહારગામથી આવતો માલ સાંજે 4 થી 7 દુકાનોમાં ઉતારાશે

જામનગર : આજરોજ સંસ્થાની કારોબારી મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે હાલના સંજોગોને ધ્યાનમાં લઇ સવારે ૯ થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની તેમજ બહારગામથી જે માલ આવે છે તે દુકાનોમાં ઉતારવા માટે નો ટાઈમ સાંજે ચારથી સાત સુધીનો રહેશે એવું સર્વાનુમતે નક્કી કરેલ છે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

(12:46 am IST)