માણાવદરમાં નડતરરૂપ દબાણો પોલીસ દ્વારા હટાવાયા
માણાવદરઃ આજથી ૮મું લોકડાઉન શરૂ થયુ રહ્યુ છે.તમામ નાના મોટા ધંધા શરૂ થશે જેથી ટ્રાફિક સમસ્યા વધસે જેથી કરીનેઙ્ગ પી.એસ.આઈ. પી વી ધોકડિયાઙ્ગ અને પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી રસ્તાઓ પર અડચણ રુપ સ્ટોલો દૂર કરાયા હતા જેમાં મુખ્ય માર્ગો પર આવેલ દુકાનો, લારીઓ, પાનના ગલ્લાઓ, ગેરેજ, વગેરે ધંધાર્થીઓ દ્વારા રસ્તા પર નડતરરૂપ રાખેલ પાટિયા,બોર્ડબેનર, પથ્થરો, મંડપના ગાળા સહિતની બિનજરૂરી નડતરરૂપ વસ્તુઓ મૂકેલ હોય જે પાર્કિંગ તેમજ ટ્રાફિકને નડતર રૂપ વસ્તુઓ અને માલસામાન હટાવી અને માલ દુકાનોમાજ રાખવા કડક સુચના કરાય છે. આરીતે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી માણાવદર પોલીસ દ્વારા હાથ ધરાય હતી.જેથી માણાવદરના સીનેમા રોડ પર આવેલા વેપારીઓમાઙ્ગ અસંતોષ જોવા મળી રહ્યો છે. (તસ્વીર-અહેવાલઃ પી.એસ.રૂપોરલીયા.માણાવદર)