સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ટંકારા પાસે એસટી બસ અને રીક્ષા અથડાતા રીક્ષાના ડ્રાઇવર ભગવાનભાઇ ભરવાડનું મોત

ટંકારા તા.૧: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લખઇ ચોકડી પાસે એસ.ટી. બસ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા રીક્ષા ડ્રાઇવરનુ઼ ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ છે.

મોરબી હાઇવે ઉપર લખઇ ચોકડી પાસે, મોરબી ભાવનગર એકસપ્રેસ બસનં. જી.જે. ૧૮ ઝેડ ૨૩૫૧ અને રાજકોટથી પ્લાયવુડ ભરી રાજકોટ થી મોરબી તરફ આવતી છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થયેલ જેમાં છકડો રીક્ષાનો બુકડો બોલી ગયેલ છે. રીક્ષા ચાલક ભગવાનજીભાઇ ભરવાડનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજેલ છે.

ઘટનાની જાણ થતા સુરેશભાઇ ઠોરીયા અને વિક્રમભાઇ આહિર દોડી ગયેલ અને પી.એમ. માટે મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.

(1:49 pm IST)