સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ઘોઘાવદરમાં સંત શિરોમણી દાસી જીવણની જગ્યામાં સમુહલગ્ન

રાજકોટઃ જીલ્લાના ગોંડલ તાલુકાના પવિત્ર યાત્રાધામ ઘોઘાવદર મુકામે સંત શિરોમણી દાસી જીવણની જગ્યા તથા ગૌશાળા ટ્રસ્ટ આયોજીત સમુહ લગ્નોત્સવ ધામધુમ સાથે સંપન્ન થયેલ. દીકરીઓને કરિયાવરરૂપે જીવન જરૂરીયાતની વસ્તુઓ ભેટ આપવામાં આવેલ. આ પ્રસંગે કલાકારો, અગ્રણીઓ તથા અખંડ જીવન જયોત કુંભ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ. રાજકોટના કલાકાર તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯)એ જમાવટ કરેલ. તેઓને દાસીજીવણ જગ્યાના મહંતશ્રી શામળદાસબાપુના હસ્તે અખંડ જીવણ જયોત એવોર્ડથી નવાજવામાં આવેલ હતા. આ ધર્મોત્સવને સફળ બનાવવા મહંત શામળદાસ બાપુ (૯૯૦૯૬ ૨૪૯૩૫), હર્ષદભાઈ પરમાર (નિવૃત કમિશ્નર કચેરી- રાજકોટ), જાદવભાઈ રાણાદાદાની મેલડી, વાલાભાઈ કૃષ્ણ ટ્રાવેલ્સ- વાપી, વિનુભાઈ પરમાર- ચેનપુરવાળા જાદવભાઈ મકવાણા, જેન્તીભાઈ માવજીભાઈ પરમાર, ભામાસા પ્રમુખ ૪ નંબરના કર્મચારી, સેવાના ભેખધારી જેન્તીભાઈ પરમાર વિ.એ જહેમત ઉઠાવી હતી.

(11:59 am IST)