માંડવીના પરીણિત ગઢવી યુવાન અને ગરાસીયા યુવતીએ ઝેર ગટગટાવ્યું: યુવતીનું મોત, અપહરણની ફરીયાદ
ભૂજ, તા. ૧ :. પ્રેમમાં પડીને કરાતા આંધળુકીયા બાદ જ્યારે પ્રેમીઓ સામે વાસ્તવિકતા આવે છે ત્યારે હતાશા અને નિરાશાના કારણે આવા પ્રેમીઓ મોતને વહાલુ કરે છે.
માંડવીના ધ્રબુડીના દરિયા કિનારે ગુંદીયાળી ગામની ૧૯ વર્ષીય ગરાસીયા યુવતી શ્રધ્ધાબા વિક્રમસિંહ જાડેજાની સાથે તેના પરીણિત પ્રેમી ૨૧ વર્ષીય ગઢવી યુવાન દેવરાજ નાગાજણ ગઢવીએ ઝેર ગટગટાવી લેતા યુવતી શ્રધ્ધાબાનું મોત નિપજ્યુ હતું.
દરમિયાન આ મામલે શ્રધ્ધાબાના પિતા વિક્રમસિંહ રતનજી જાડેજાએ માંડવી પોલીસમાં દેવરાજ નાગાજણ ગઢવી અને તેની સાથે અન્ય ત્રણ એમ ચાર યુવાનો વિરૂદ્ધ શ્રધ્ધાબાના અપહરણની ફરીયાદ લખાવી છે.
જેમાં બળજબરીથી શારીરિક સબંધ બાંધવા તેમની પુત્રીનું અપહરણ કરીને ઝેર પીવા મજબુર કરાયાનો આક્ષેપ કરાયો છે. યુવતી શ્રધ્ધાબાનું મોત નિપજ્યુ છે, પરંતુ તેનો પ્રેમી નાગાજણ સારવાર હેઠળ છે. માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.