સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

જુનાગઢ ભીડભંજન મંદિરે શિવપુરાણ કથાનો પ્રારંભ

જુનાગઢ જવાહાર રોડ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહંત પુ.તનસુખગીરીબાપુના આશિર્વાદથી મહિલા મંડળ વાંઝાવાડના સહયોગથી કુ.ભાવનાબેન મહેતાના વ્યાસાસને શ્રી શિવપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.  જેમાં દરરોજ બપોરે ૩ થી ૬ ભાવિકો કથાશ્રવણનો લાભ લઇ રહ્યા છે આ કથાની તા.૭ને શુક્રવારના રોજ પુર્ણાહુતિ થનાર છે ઉપરોકત તસ્વીર પોથીનું આરતી પુજન કરતા પુ.તનસુખગીરીબાપુ તેમજ કથાનું રસપાન કરાવતા ભાવનાબેન મહેતા અને કથા શ્રવણ કરતા મહિલા મંડળના બહેનો તથા ભાવિકો નજરે પડે છે. (અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:52 am IST)