સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ભાવનગરમાં બંધ મકાનમાંથી ૬૧ હજારની માલમતા ચોરાઇ ગઇ

ભાવનગર, તા. ૧ : સરદારનગર વિસ્‍તારમાં હિંમત સોસાયટીના પ્‍લોટ નં. ૧૦પમાં રહેતા ભરતભાઇ રજનીભાઇ પંડયાના મકાનમાં ગઇરાત્રે તસ્‍કરોએ મકાનના પ્રથમ જલાની ગેલેરીમાંથી અંદર પ્રવેશ રોકડા રૂા. ૩પ૦૦૦, ત્રણ મોબાઇલ અને દાગીના મળીરૂા. ૬૧ હજારની માલમતાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

ફાંસો ખાઇ આપઘાત

સુભાષનગર વિસ્‍તારમાં પંચવટી ચોક નજીક રહેતા અજીતસિંહ રામસિંહ ગોહિલ ઉ.વ. ૩૩ એ તેના ઘેર કોઇ અકળકારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

(10:56 am IST)