સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ

ભાવનગર, તા. ૧ : ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં પરણિતા સાથે નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

વિગતો એવી છે કે ભાવનગરના રૂપાણી સર્કલ દિવડી પાસે રિદ્ધિ સિદ્ધિ ફલેટમાં રહેતા ચેતનાબેન સંજયભાઇ ડાભી ઉ.વ.૩૬ એ મુળ સાવરકુંડલા તાલુકાના આપા દેવળીયા ગામના અને હાલ સુરતની  ચોકડી પાસે રહેતા તેના નણદોય મહેન્‍દ્ર કાકુભાઇ રાઠોડ વિરૂદ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેણી ગત તા. ર-પના રોજ રાત્રીના ભાવનગરથી સુરત જતી ખોડીયાર ટ્રાવેલ્‍સની બસમાં તેણીના પતિ સંજયભાઇ રમણીકભાઇ ડાભી સાથે થયેલા ઝઘડા અંગે તાંત્રીકવિધી કરી બધુ થાળે પાડવાનું કહી ધાક-ધમકી આપી ભોળવી તેણી સાથે બસમાં દુષ્‍કર્મ આચર્યા બાદ આ વાત કોઇને નહીં કરવાની ધમકી આપી હતી.

આ અંગે બી-ડીવીઝન પોલીસે ગુન્‍હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(10:55 am IST)