સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

મોરબી : પ્રથમ વખત કોરોના આંક ૧૦૦ ને પાર, આજે ૧૦૨ નવા કેસ નોંધાયા અને ૦૩ ના મૃત્યુ

કોવીડ પ્રોટોકોલ મુજબ 10 ના અંતિમસંસ્કાર કરાયા.

મોરબી જીલ્લામાં કોરોનાના સૌથી વધુ ૧૦૨ કેસો નોંધાયા છે જયારે સરકારી ચોપડે ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૧૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૫૫ કેસો જેમાં ૩૦ ગ્રામ્ય અને ૨૫ શહેરી વિસ્તારમાં જયારે મોરબી તાલુકામાં ૦૩ દર્દીના મૃત્યુ થયા છે જયારે વાંકાનેર તાલુકામાં ૦૮ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૬ કેસોમાં ૦૬ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૧ કેસો ગ્રામ્ય પંથકમાં અને માળિયા તાલુકાના ૧૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૦૨ કેસ નોંધાયા છે જયારે ૦૩ દર્દીના સરકારી ચોપડે મોત થયા છે
નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૭૫૮ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

(9:52 pm IST)