સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાયું : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

રાજકોટ તા ૧, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

          રાજકોટમાં પણ સાંજે ચાર વાગ્યા આસપાસ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.

         

         જામજોધપુર

 

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર:::જામનગર ના લાલપુર પંથકમાં  વાતવરણ માં પલટો આવ્યો હતો અને બપોર બાદ ભારે પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

   ચાર થાંભલા ઉમા ધામ સોસાયટી,સહકાર પાર્ક બસસ્ટેન્ડ વિસ્તાર સહિત અનેક વિસ્તારો માં ધોધમાર વરસાદ વરસ્યો હતો

     ઉનાળુ મગ તલ બાજરી અને ઉનાળુ મગફળી ને નુકસાની ની ભીતિ છે.

(4:18 pm IST)