કોરોનાથી અમરેલી જીલ્લામાં ૧૯ મોત
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧ : જિલ્લામાં શુક્રવારે કોરોના દર્દીઓના મોતનું પ્રમાણ ઘટયુ છે. આજે જિલ્લામાં ૧૯ના મોત થયા છે. અમરેલી જિલ્લામાં સારવાર લઇ રહેલા ૧૯ દર્દીઓના પીપીઇકીટમાં અંતિમ સંસ્કાર કરાયા હતા અને અમરેલી શહેરમાં માત્ર ૧ર કલાકમાં કોવિડ અને નોનકોવિડ મળી કુલ ૧૮ના મોત નોંધાયા છે. અમરેલી, વડીયા, કુંડલા, રાજુલામાં કોરોનાના ૧૯ દર્દીઓના તથા અમરેલી શહેરમાં વગર કોરોનાએ ૧૧ લોકોના મોત થયા છે. જિલ્લામાં કોરોના નેગેટીવ મોતનો પારો વધુ ઉંચો ચડી રહયો છે.
રામપર તોરીના ૪ર વર્ષના પુરૂષ, દામનગરના ૪૦ વર્ષના મહિલા, મતિરાળાના ૬૪ વર્ષના પુરૂષ જુની હળીયાદના ૪૦ વર્ષના મહિલા, બ્રાહ્મણ સોસાયટી સ્વામીનારાયણનગરના ૬૪ વર્ષના પુરૂષ, ચિતલ રોડ, સિધ્ધાર્થનગરના ૬ર વર્ષના પુરૂષ, માણેકપરાના ૮૦ વર્ષના મહિલા અમૃતનગરના ૬૮ વર્ષના પુરૂષ અને સીમંધર સોસાયટીમાં ૪૬ વર્ષના પુરૂષ સહિત સારવારમાં રહેલા દર્દીઓના મૃત્યુ થયા છે.