સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

મોરબીમાં કોવીડ પ્રોટોકોલ મુજબ આઠ મૃતદેહના અંતિમ સંસ્કાર

મોરબી જિલ્લામાં કોરોનાના ૯૪ કેસ : ૮૩ દર્દી સ્વસ્થ જ્યારે ૪ના મૃત્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં કોરોનાના નવા ૯૪ કેસ નોંધાયા છે, ૮૩ દર્દીઓ સ્વસ્થ થયા છે અને ચાર દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૮ કેસોમાં ૨૮ ગ્રામ્ય અને ૨૦ શહેરી વિસ્તારમાં નોંધાયા છે અને તાલુકામાં ૦૨ મોત થયા છે જયારે વાંકાનેર તાલુકામાં ૦૩ કેસ જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૯ કેસ જેમાં ૧૧ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં અને તાલુકામાં એક દર્દીનું મોત થયું છે ટંકારા તાલુકાના ૧૫ કેસો ગ્રામ્ય પંથકમાં અને એક દર્દીનું મોત થયું છે તેમજ માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૯ કેસો મળીને નવા ૯૪ કેસ નોંધાયા છે જયારે ૮૩ દર્દીઓ સ્વસ્થ થયા છે અને ચાર દર્દીના જીલ્લામાં મૃત્યુ થયા છે.

નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૭૪૦ થયો છે કોવીડ પ્રોટોકોલ મુજબ આઠ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(12:46 pm IST)