પોરબંદરમાં યુવા કલાકાર તથા તેના પિતા બન્નેનું એક દિવસે કોરોનાથી નિધન
પોરબંદર, તા. ૧ :. 'ઝણકાર' ઓરકેસ્ટ્રાના યુવા કલાકાર અને કોળી સમાજના યુવા કાર્યકર દીપકભાઈ તથા તેમના પિતા નારણભાઈ પરમાર બન્નેનું તાજેતરમાં એક જ દિવસે બાપ-દીકરાનું નિધન થયું છે. તદ્ઉપરાંત જ્યુબેલી ઘેડિયા કોળી સમાજના યુવા ટ્રસ્ટી અમીતભાઈ બાબુભાઈ આંત્રોલિયાનું નિધન થતા ત્રણેય સમાજના શ્રેષ્ઠીઓના કોરોનાના કારણે નિધન થતા કોળી સમાજમાં શોકનું મોજુ ફરી વળેલ હતું.
જ્યુબેલી ઘેડિયા સમાજની વંડીના પ્રમુખ ભરતભાઈ રાઠોડ, છાંયાપ્લોટ ઘેડિયા કોળી સેવા સમાજ વંડીના પ્રમુખ દેવાયતભાઈ વાઢીયા, પોરબંદર રાંભીબેન મુળુભાઈ જોરા કોળી સમાજ વંડીના પ્રમુખ મનુભાઈ માવદીયા, ઓમ સાંઈ ટેકા પરબના પ્રમુખ રામસીભાઈ બાલમણીયા, સમાજ શ્રેષ્ઠી સર્વશ્રી લાખાભાઈ મોકરીયા, અરજનભાઈ, આંત્રોલિયા, દેવશીભાઈ કરગટીયા, ડો. ઈશ્વર ભરડા, રમેશભાઈ કરગટીયા, કાન્તીભાઈ કરગટીયા, રામભાઈ બગીયા (પીએસઆઈ) સહિતના અગ્રણીઓએ સદગતની માનવ ઉત્થાનની સેવાઓને બિરદાવી બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.