સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

મોરબી : સ્વ. મીતાબેન કાવરની સ્મૃતિમાં પુત્રીએ પાટીદાર કોવીડ સેન્ટરને એમ્બ્યુલન્સ અર્પણ કરી.

મોરબીમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે માતાના નિધન પર પુત્રીએ પાટીદાર કોવીડ સેન્ટરને એમ્બ્યુલન્સ અર્પણ કરી છે
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજ્ભાઈ પટેલના પરિવારના પુત્રવધુ ચાંદનીબેન નીરવભાઈ પટેલના માતા મીતાબેન કાવરનું દુખદ અવસાન થતા માતાની સ્મૃતિમાં પુત્રીએ કોરોના કેર સેન્ટરને એમ્બ્યુલન્સ અર્પણ કરી છે મોરબીમાં કોરોના મહામારીમાં દર્દીઓને એમ્બ્યુલન્સ સુવિધા તત્કાલ મળી રહે તેવા હેતુથી પાટીદાર કોવીડ સેન્ટર પટેલ કન્યા છાત્રાલયને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે

(10:13 pm IST)