દિલ્હીથી મોરબી આવેલ ત્રણ વ્યકિતઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા
મોરબી, તા.૧: જીલ્લાના ત્રણ વ્યકિત નિઝામુદિન દિલ્હી ખાતે ગયેલ હોવાની માહિતી સામે આવતાની સાથે જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ હતું અને ત્રણેય વ્યકિતઓને સિવિલ હોસ્પિટલ લાવીને ચેકઅપ કરવામાં આવ્યા છે અને સેમ્પલ લઇ ટેસ્ટ મોકલવામાં આવ્યા છે.
દિલ્હીના નિઝામુદિનમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દેશના વિવિધ રાજયો તેમજ વિદેશમાંથી બે હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના કારણે ૨૦૦ થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું અને દશેકના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. તો જે સ્થળે કાર્યક્રમ હતો ત્યા મોરબીના ત્રણ મોબાઇલ એકટીવ હતા તે ત્રણેય વ્યકિતને શોધીને આરોગ્ય ટીમ દ્વારા મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે ત્રણેય વ્યકિત હિન્દુ હોવાનું સામે આવેલ છે આટલુ જ નહી ત્રણેયને હાલમાં સિવિલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે. તો હાલમાં કુલ ૪ વ્યકિતઓ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.