જેતપુર રાહત સમિતિ દ્વારા ૬ હજાર ગરીબ લોકોને કીટ અપાશે : રાદડીયા
જેતપુર, તા.૧ : શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવિ લોકો દ્વારા ગરીબ લોકોને તેમજ દરરોજનું પેટીયુ રડતા શ્રમજીવીઓને ભૂખ્યા રહેવું ન પડે માટે ભોજન બનાવી તેમના ઘર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો શહેરની રાહત સમિતિ દ્વારા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેળ જેતપુર શહેર તાલુકો, જામકંડોરણામાં વસ્તા એવા લોકો કે તેની પાસે કુપન નથી તેઓને સહાય માટે છ હજાર અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ કિલો લોટ, પ કિલો બટેટા, પ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ, ૧ કિલો તલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગઇ કાલે ધોરાજી રોડ ખાતે આવેલ પટેલ સમાજ ખાતે જયેશભાઇ રાદડીયા, વી.ડી. પટેલ, જેન્તીભાઇ રામોલીયા, સુરેશભાઇ સખરેલીયા, હરેશભાઇ ગઢીયા, દિનેશભાઇ ભુવા, વિરજીભાઇ વેકરીયા, કૈલષભાઇ વૈશ્ણવ સહિત અનેક કાર્યકર્તાઓએ કીટ તૈયાર કરેલ તેનું વિતરણ ટુંક સમયમાં કરવામાં આવશે.