ભાવનગર નાગરિક સહકારી બેંકનું મુખ્યમંત્રી રાહતનિધિમાં એકલાખનું અનુદાન
ભાવનગર તા.૧ : નાગરીક સહકારી બેંકના ચેરમેન જીતુભાઇ ઉપાધ્યાય, મે. ડાયરેકટર પ્રદિપભાઇ દેસાઇ અને વાઇસ ચેરમેન મહેન્દ્રભાઇ બારૈયાએ જણાવ્યુ છે કે, વિશ્વવ્યાપી કોરોના વાયરસના પ્રચંડ પ્રકોપ સામે લડત આપવા માટે પ્રત્યેક નાગરીક પોતાની રીતે સક્રિય છે અને સ્થાનિક પ્રશાસન પણ તકેદારીના પગલા લેવામાં કોઇ કસર છોડતુ નથી ત્યારે નવા સંશાધનો વસાવવા અને વધારવા તેમજ પિડીતોને મદદરૂપ થવા જરૂરી નાણાકીય ભંડોળ ઉભુ કરવા માટે કરવામાં આવેલ અપીલના પ્રતિસાદરૂપે ભાવનગર નાગરીક સહકારી બેંક દ્વારા બોર્ડ ઓફ ડીરેકટર્સની વિશેષ મીટીંગમાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
તદઅનુસાર મુખ્યમંત્રી રાહતનિધીમાં (ચીફ મીનસસ્ટર રીલીફ ફંડ) રૂ. એક લાખનુ અનુદાન આપવાનુ નકકી કરે છે. તેના અનુસરણમાં બેંક દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિના સબંધી ખાતામાં આરટીજીએસ થી રૂ. એક લાખની રકમ જમા કરાઇ છે. દરેક શાખાના પ્રવેશદ્વાર પર રાખેલા સેનીટાઇઝરથી દરેક ગ્રાહક મુલાકાતીના હાથ સેનેટાઇઝ કરવામાં આવે છે. બેંક દ્વારા દરેક કર્મચારીને માસ્ક અને સેનીટાઇઝરની બોટલ પણ આપવામાં આવી છે.