કોરોનાને પગલે મુખ્યમંત્રી રાહતફંડમાં ગુજરાત સ્પેનીંગ એશો દ્વારા રૂપિયા એક કરોડનું અનુદાનઃ ડો.બોધરા
જસદણ,તા.૧: કોરોનાવાયરસની મહામારીમાં ઉદ્યોગગૃહો પણ મુખ્યમંત્રી રાહત ફંડ મોટી રકમ આપી રહ્યા છે ત્યારે જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોદ્યરા પ્રયાસોથી રૂપિયા એક કરોડની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે વિવિધ ઉદ્યોગગૃહોને કોરોનાનીઙ્ગ મહામારીની લડતમાં પહોંચી વળવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંઙ્ગ રકમ આપવા અપીલ કરી હતી જેના ભાગરૂપે જસદણના પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોદ્યરાએ આ અપીલ ઝીલી લીધી હતી. ગુજરાત સ્પેલિંગ એસોસિએશનના ચેરમેન ડો.ભરતભાઇ બોદ્યરા, પ્રમુખ સૌરીનભાઈ પરીખ, હોદ્દેદારો દિલીપભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, રિપલ પટેલ, ગૌતમભાઈ ધમસાણીયા સહિતનાએઙ્ગ સ્પિનિંગ એસોસિએશનને અપીલ કરતા માત્ર એક જ કલાકમાં એક કરોડ જેવી માતબર રકમ એકત્ર થઈ હતી. આ રકમ ગુજરાત સ્પીનિંગ એસોસિયેશનના ચેરમેન ડો.ભરતભાઇ બોદ્યરા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવી હતી.