અમરેલીના બે મુસ્લિમ કિશોર ડૂબી ગયા : અરેરાટી
અમરેલી તા. ૧ : અમરેલીના બે મુસ્લિમ કિશોરના ધારી ડેમમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. જયારે એક કિશોરનો બચાવ થયેલ હતો. બે કિશોરના મોતથી અમરેલી મુસ્લિમ સમાજમાં શોક વ્યાપી ગયેલ હતો, એક કિશોર તેના પિતાનો એકનો એક દીકરો હતો મૃતક અને બચી ગયેલ ત્રણેય કુરાને હાફિજ થયેલ હતા.
અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતા અબ્દુલ્લાહ સિકંદર નાગણી (ઉ.૧૭) અને અયાજ હનીફભાઇ માંડલિયા (ઉ.૧૮) અને એક અન્ય કિશોર સહીત ત્રણેય ધારી ડેમ ખાતે બાઈક લઈને ફરવા ગયેલ હતા અને ધારી ખોડિયાર ડેમ ખાતે પાણી જોઈને ત્રણેય યુવાનોને નાહવાનું મન થતા પાણીમાં નાહવા પડતા અયાજ અને અબ્દુલ્લાહ બંને ઊંડા ઘૂનામાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા અને એક કિશોર બચી જવા પામ્યો હતો.
બનાવને લઈ અમરેલી મુસ્લિમ સમાજના આગેવાનો ધારી દોડી ગયેલ હતા અને મૃતક કિશોરોને પીએમ કરાવી બંને કિશોરના સબ અમરેલી આવવા નિકળેલ હતા બનાવને લઇ મૃતક કિશોરના પરિવાર શોકમય બની ગયેલ. બનાવથી અરેરાટી મચી જવા પામી હતી મૃતક અબ્દુલ્લા તેમના પિતાનો એકનો એક દીકરો હતો.