નાની પરબડી ગામે નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા બાદ મતદાન કર્યું:
નાની પરબડીના યુવાને લગ્નગ્રંથી થી જોડાયા બાદ જાન ઘરે લઈ જવાની જગ્યાએ જાન વરરાજા અને જાનૈયા સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.લગ્ન વિધિ કરાવનાર બ્રાહ્મણ જયંતીલાલ જોષી જણાવેલ કે નાની પરબડીમાં લગ્ન હિન્દુ શાસ્ત્રોકત વિધિ દ્વારા કરવામાં આવ્યા હતા અને જાન વરરાજાને ઘરે પહોંચે એ પહેલા જ વરરાજો તેમજ તેમના સગા વહાલાઓ પરિવારજનો એક સાથે આવી મતદાન મથક પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું.નાની પરબડી નો યુવાન વરરાજો કેતન પાઘડર એ જણાવેલ કે આજરોજ મારા માટે પણ મહત્વનો દિવસ હતો જ પરંતુ ભારતના બંધારણ અને લોકશાહીની ફરજ બજાવી એ પણ મારી પ્રાથમિક ફરજ છે જેથી જાન પરત આવતા ઘરે જવાની બદલે સીધા જ પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક ખાતે અમો મતદાન દેવા માટે આવ્યા છીએ. (તસ્વીરઃ કિશોર રાઠોડ)