એક વર્ષથી વિધવા પેંશન મળેલ નથી..!!
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧ : ટીમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કાંતિભાઈ ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી સબંધકર્તાઓને લેખિત રજુઆતમા જણાવેલ છે કે,ગુજરાત સરકાર દ્વારા દર મહીને અપાતી વિધવા સહાયની રકમ છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી કોઈપણ કારણોસર મળેલ નથી ત્યારે આવી બહેનો તથા માતાઓને ભરણપોષણનો વિકટ પ્રશ્ન ઉભો થયેલ છે.વિધવા બહેનોની કફોડી સ્થિત ઉભી થઈ છે.જેથી વ્હેલાસર ગુજરાતમાં જયા જ્યા આવા બહેનોને સહાય નથી મળી તેની સરકાર દ્વારા તપાસ કરાવી બાકી રહેતી વિધવા સહાયની રકમ એકીસાથે તેમના ખાતામાં જમા કરાવે તે અતિઆવશ્યક છે. ઉપરાંત સરકારની સૂચના મુજબ આવી તમામ વિધવા અને વળદ્ધ બહેનો અભણ હોય ઉંમરના કારણે તેઓના અંગુઠાની છાપ બેંકમાં ન આવતી હોય અને નેટના કારણે પણ આવું બનતું હોય આ સંજોગોમાં આવા વળદ્ધ બહેનો પ્રત્યે સરકાર સહાનુભૂતિ દાખવી વ્યવહારુ ઉકેલ લાવે વિકલ્પે પોસ્ટ દ્વારા મનીઓડરથી આવી રકમ ચૂકવાઈ તેવી વ્યવસ્થા કરી આપે તેવી પણ ટિમ ગબ્બરે માંગ કરી છે.