રાઘનપુર(પાટણ)ના અપહરણનો આરોપી જામનગરમાં ઝડપાયો
જામનગર,તા.૧: રાઘનપુર પોલીસ સ્ટેશન જી.પાટણાના એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૭૩૦૦૫૭ ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબનો ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સુરેશભાઇ ઉર્ફે ભલાભાઇ ગોવાભાઇ ઠાકોર રહે. કોલ્હાપુર ગામ તા.રાઘનપુર જી.પાટણવાળો ભોગબનારને લઇને નાશી ગયેલ હોય અને હાલ તે ફરાર હોય અને હાલ તે જામનગર એસ.ટી.ડેપોની બાજુમાં આવેલ ચાની હોટલ પાસે બેઠેલ હોય જેથી સદર જગ્યાએ જતા આરોપી સુરેશભાઇ ઉર્ફે ભલાભાઇ ગોવાભાઇ ઠાકોર તથા તેની સાથે ભોગબનનાર સગીરા મળી આવેલ જેથી મજકુરને તથા ભોગબનનાર સગીરાને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી ‘એ' ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. બી.એન.ચૌધરી તથા પો.સ.ઇ. જે.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.