News of Wednesday, 1st February 2023
આર.ટી.ઓ. અમરેલીનો ટેસ્ટ, ટ્રેક, રીપેરીંગકામ સમાપ્ત ન થાય ત્યાં સુધી બંધ રહેશે
ટ્રેકનું રીપેરીંગ કામ શરૂ હોવાથી લાયસન્સના ટેસ્ટની કામગીરી બંધ રહેશે
અમરેલી, તા.૧ : અમરેલી ખાતે આવેલી એ.આર.ટી.ઓ. કચેરીમાં હાલમાં લાયસન્સ માટેનો ટેસ્ટ આપવાના ટ્રેક પર રીપેરીંગ કામગીરી શરૂ છે. ટેકનિકલ ફોલ્ટના કારણે રીપેરીંગ કામ સમાપ્ત ન થાય ત્યાં સુધી અમરેલી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે લાયસન્સ માટેના ટેસ્ટની કામગીરી હાલમાં બંધ છે, ટેસ્ટની પ્રક્રિયા શરૂ થવાની એ.આર.ટી.ઓ. દ્વારા જાણ કરવામાં આવશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
(1:00 pm IST)