સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st February 2023

પોરબંદરના પ્રોફેસર બ્રિજેશભાઇ જી સેટની પરીક્ષામાં ઉતીર્ણ

પોરબંદર, તા., ૧:  માલદેવજી  ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલીત ડો.વી.આર. ગોઢાણીયા બી.એડ કોલેજના પ્રોફેસર બ્રિજેશભાઇ દિનેશભાઇ દેસારીએ ગુજરાત સ્‍ટેટ એલીજીબીલીટીની પરીક્ષા પાસ કરીને કોલેજ તથા ગોઢાણીયા શૈક્ષણીક સંકુલનું ગૌરવ વધાર્યુ છે.

ગુજરાત સ્‍ટેટ એલીજીબીલીટી  ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા પ્રતિવર્ષ પ્રોફેસર બનવા માટે જુદી જુદી વિદ્યાશાખાઓમાં આ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં શિક્ષણ વિદ્યાશાખામાં આ પરીક્ષા પાસ કરેલ છે.

જી.સેટ (શિક્ષણ) જેવી ઉચ્‍ચ પરીક્ષા ગુણવતા સાથે પાસ કરવા બદલ ગોઢાણીયા બી.એડ. કોલેજના  પ્રાચાર્યા અને એકટીવ ટ્રસ્‍ટી ડો. હિનાબેન ઓડેદરા, ટ્રસ્‍ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા, ટ્રસ્‍ટી શ્રી ભરતભાઇ વિસાણા,  કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડા તેમજ સ્‍ટાફ પરીવારે અભિનંદન સાથે શુભેચ્‍છા પાઠવી છે.

(12:04 pm IST)