સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ખાંભા તાલુકામાં બ્રિજ અને રિસરફેસિંગ કામનું ખાતમુહુર્ત

રાજુલાઃ ખાંભા તાલુકાના જીવાપરથી કાતરપરા ગામ જવાના રસ્તા ઉપર એક બ્રિજ બનાવવા માટે લોકોની સતત માંગ હતી. થોડા મહિના પહેલા એસ.ટી.બસનો ગંભીર અકસ્માત પણ આ જગ્યા ઉપર થયેલો મુલાકાત પણ લીધી હતી અને સરકારશ્રીમાં રજુઆત કરી હતી. જે સંદર્ભે આ વિસ્તારના રહીશોની માંગણી મુજબ ૮૦ લાખ રૂપિયાના ખર્ચે આ પુલ પાસ કરાવ્યો જેનું ખાતમુર્હુત સાથોસાથ મુંજીયાસરથી ત્રાકુંડા ગામ જવાના રસ્તાનું રિસરફેસિંગ કામ ચાલુ કરાવવાનું ખાત મુર્હુત પણ સરપંચ અને આગેવાનોની હાજરીમાં કર્યું જે થોડા સમય પછી કામ શરૂ થશે. (તસ્વીરઃ અહેવાલ-શિવકુમાર રાજગોર-રાજુલા)

(12:49 pm IST)