સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં મહુવાના શખ્સને પોકસો હેઠળના ગુનામાં ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ
ભાવનગર : સજા બાદ આરોપીને પોલીસ હવાલે કરાતા જેલ હવાલે લઇ જવાયો હતો.
(વિપુલ હિરાણી) ભાવનગર તા. ૧ :.. મહુવાના શાંતીનગર ખાતે રહેતા આરોપી પ્રવિણ ઉર્ફે પરુ વિઠ્ઠલભાઇ પીપળીયા કે જે બે બાળકોનો પિતા હોય તેને સાને ર૦૧૮ માં મા-બાપ વિનાની ભોગ બનનાર સગીરાનું લલચારી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે જુદી જુદી લઇ જઇ તેની વાસના સંતોષવા સતત દુષ્કર્મ ગુજારેલ તે મુજબનો ગુનો મહુવા પો. સ્ટે.માં નોંધાયેલ જેનો કેસ મહુવાના સ્પે. પોકસો જજ શ્રી એમ. અસ.સિંધીની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી ઇપીકોડ કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (એન) તથા પોકસો અધિનીયમની કલમ ૪ અન્વયેનો ગુનો સાબિત માની સરકારી વકીલ શ્રી અરવિંદભાઇ એચ. સોલંકીની દલીલો તથા ૧૭ મૌખિક પુરાવા તથા ૩૧ દસ્તવેજી પુરાવાઓને ધ્યાને લઇને આરોપીને જુદી જુદી કલમો હેઠળ કુલ દશ વર્ષની સખ્ત કેદની સજા તથા જુદી જુદી કલમો અન્વયે કુલ ૧પ,૦૦૦ નો દંડ ફટકારેલ છે.