રવિવારે વિજયભાઇ સોમનાથ મહાદેવના દર્શને
પ્રભાસપાટણ-વેરાવળ,તા. ૧: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૨૦૨૧ના નવા વર્ષમા સૌ પ્રથમ ગીર સોમનાથ આવી રહ્યા હોય ત્યારે તેઓ સોમનાથ મહાદેવ ના દર્શન પણ કરે છે આગામી ૩ જાન્યુઆરી નાં રોજ ઉના ખાતે કિસાન સર્વોદય યોજના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત થવાના હોય, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલું કરી દેવામાં આવી છે અને ગઇકાલે જીલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સબંધિત અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ૩ જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ મા આવતા હોય જેને લઈને તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ હતું તેમજ તેઓ ઉના કાર્યક્રમ પુર્ણ કરી અને સોમનાથ મહાદેવ ના દર્શને પધારે છે તેઓ સોમનાથ રાત્રી રોકાણ તેવી શકયતા દર્શાવવામાં આવી છે હાલમા મુખ્યમંત્રીના આગમનને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયેલ છે.