મહુવા પંથકમાં સિંહણનો ખેડૂત ઉપર હુમલો
ભાવનગર તા.૩૧ : મહુવા પંથકમાં ખેડૂત ઉપર સિંહણે હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી છે.ગળથર ગામે સિહણે ખેતરમાં કામ કરી રહેલા ૪૨ વર્ષીય ગણેશભાઈ વેલાભાઈ મકવાણાની પીઠ ઉપર હુમલો કરતા તેમને ઈજા પહોંચતા તેને મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ફોરેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે સિંહણ અને તેના બચ્ચા ગળથર ગામે દેખાતા ખેડૂતે હાકલા-પડકારા કરતા સિંહણ અને તેના બચ્ચા જુદા પડી ગયા હતા અને સિંહણ એ ખેડૂત ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસ ખાતાના કાફલો બનાવસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત ખેડૂતને હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં અનેક વખત સિંહ અને દિપડા ખેડૂત અને પ્રાણીઓ પર હુમલા કરે છે આજે સિંહણે હુમલો કરતાં લોકોમાં ચર્ચા જાગી હતી.