Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જુનાગઢમાં દત જયંતીની ઉજવણી

જુનાગઢ : ભવનાથ તળેટી સ્થિત શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતે પિઠાધીશ્વર શ્રી જયશ્રીકાનંદગીરીજી માતાજી દ્વારા દતજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગિરનાર મંડળના અધ્યક્ષ અને અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતીજી મહારાજ સહિતના સંતોની ઉપસ્થિતીમાં દત ભગવાનનું પુજન  અર્ચન કરાયુ હતુ. બાદમાં સાધુ સંતોનો ભંડારો મહાપ્રસાદ અને જયશ્રીકાનંદગીરીજી માતાજી દ્વારા સંતોને ભેટ પુજા અર્પણ કરવામાં આવી હતી અને કોરોનાની મહામારીને લઇને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં સાધુ સંતોએ ઉપસ્થિત રહયા હતા. (અહેવાલ : વિનુ જોશી) 

(12:52 pm IST)