Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જીલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયાની ઉપસ્થિતીમાં બાબરાના ખંભાળા ગામે ખેડૂત સભા યોજાય : નરેન્દ્રભાઇ મોદીના સંબોધનના લાઇવ કાર્યક્રમને નિહાળતા ખેડૂતો

બાબરા તાલુકાના ખંભાળા ગામે અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્ત્।ે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સુશાસન દિવસ નિમિત્ત્।ે દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતા મા રુપિયા ૧૮૦૦૦ કરોડ જમા કર્યા હતા દરેક ખેડૂત ના ભાગે એમના ખાતામાં પૈસા જમા થયા હતા, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સુશાસન દિવસ નિમિત્ત્।ે અટલબિહારી વાજપેયીજીને પુષ્પાંજલીના ભાગ રૂપે દેશના ખેડૂતોને લાઇવ સંબોધન કરી ૧૮૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવીયા હતા આ તકે બાબરા તાલુકા ના દરેક ગામે મોદીજીના સંબોધનનુ લાઇવ આયોજન કરાયું હતું દરેક ગામે ખેડૂત સભા યોજીહતી બાબરા તાલુકાના ખંભાળા ગામે જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયાની ઉપસ્થિતિમા મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો ઉપસ્થિતમા અટલબિહારી બાજપાઈજી જન્મ જયંતીનિમિત્ત્।ેે સુશાસન દિવસના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોના ખાતા પૈસા જમા કરાવીયા એનુ લાઇવ પ્રસારણ લોકો એ નિહાળ્યું હતું આ તકે ગ્રામી આગેવાન સામતભાઇ રાતડીયા ,ભુપતભાઇ ખાચર,રમભાઇ ખાચર,લાલાભાઇ જાદવ હરેશભાઇ ગોસાઇ ભરતભાઇ ફુલેતરીયા,જાદવભાઇ, લાલાભાઇ સહીત ગામ ના અગ્રણી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ મનોજ કનૈયા -બાબરા)

(12:50 pm IST)