Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રેમસ્વરુપદાસજી માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા :કાલે સવારે ઘેલો નદી કાંઠે અંતિમવિધિ

સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ ભગવતપ્રસાદ સ્વામી અને ત્રણ હરિભક્તોને ઇજા ;હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી :ગઢડા પાટોત્સવમાંથી પરત ફરતી વેળાએ પોખરવાડા નજીક અકસ્માત

સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપ દાસજી માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે જયારે સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ ભગવત પ્રસાદ સ્વામીને હાથ પગમાં ગંભીર ઇજા પહોંચી છે આ ઉપરાંત તેઓની સાથેના ત્રણ હરિ ભક્તોને ઇજા થઇ છે

  આ અંગે મળતી વિગત મુજબ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રેમસ્વરુપદાસજી અને સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ ભગવતપ્રસાદ સ્વામી તેમજ હરિભક્તો ભુપતભાઇ ચોરવાડીયા,હરેશ ભગત અને મુકેશ ભગત ગઢડા પાટોત્સવ પ્રસંગે ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે પોખરવાડા ગામ નજીક નદી કાંઠે બોલેરો જીપ સાથે સ્વામીજીની ગાડી અથડાતા પ્રેમસ્વરૂપ દાસજીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને દેવલોક પામ્યા હતા

  અકસ્માતમાં સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ ભગવતપ્રાસાદ સ્વામીને હાથમાં અને પગમાં ફ્રેક્ચર થયું છે જયારે ભુપત ચોરવાડીયાને પગમાં ફ્રેક્ચર થયું છે હરેશ ભગતને હાથ અને પગમાં ઇજા પહોંચી છે અને મુકેશ ભગતને માથામાં ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને અમરેલીની ગુણાતીત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે

  દેવલોકવાસી પ્રેમસ્વરુપદાસજી સ્વામીને અમરેલીની હોસ્પિટલમાં પીએમ કરાયુ હતું પ્રેમસ્વરુપદાસ સ્વામીના દેવલોક પામતા હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે

  સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપ દાસ સ્વામીની કાલે સવારે 8-30 કલાકે ઘેલો નદી કાંઠે અંતિમવિધિ થશે

(6:30 pm IST)