Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

મોરબીના મચ્છુ ડેમ નજીકથી હત્યા કરાયેલો મૃતદેહ કોથળામાંથી મળ્યો

મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબીના મચ્છુ ડેમ નજીકથી કોથળામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ધોરણસરની તપાસ ચલાવી છે મારાં જનાર અજાણી મહિલાની ઓળખ મેળવવા તેમજ મૃતદેહને ફોરેસ્નીક પીએમ માટે રાજકોટ ખસેડી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના મચ્છુ ડેમ નજીક આવેલા જોધપર ગામ નજીકથી પસાર થતી કેનાલમાં તણાઈને એક કોથળો આવ્યો હોય જે શંકાસ્પદ હાલતમાં હોવાથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ડીવાયએસપી બન્નો જોશી, તાલુકા પીએસઆઈ એસ એ ગોહીલ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ ચલાવી હતી જોકે મૃતક મહિલાની ઓળખ થઇ સ્કી નથી તો પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મહિલાની હત્યા કર્યા બાદ કોથળામાં મૃતદેહ નાખી ફેંકી દેવાયો હોવાની શંકાને આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક મહિલાના હાથમાં હિન્દીમાં ૐ નમઃ શિવાય લખેલું છે જેથી તે પરપ્રાંતીય શ્રમિક હોઈ શકે છે તેમજ મહિલાની હત્યા ગળું દબાવી નિપજાવવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે મૃતક મહિલાની ઉમર આશરે 30 થી 35 વર્ષ હોવાનું તેમજ મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે    

       તો મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઇ શકી નથી જે ઓળખ મેળવવા તપાસ આદરી છે અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે અને તાલુકા પોલીસની ટીમ હત્યાના બનાવની સઘન તપાસ હાથ ધરી છે 

(11:54 am IST)