Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઉનાકાંડના પીડિતના ખાતામાંથી 2 લાખની ઉચાપત

 

ઉના :બે વર્ષ પહેલાં સર્જાયેલા ઉનાકાંડનો ભોગ બનનારા પીડિતો માટે ‘એક સાંધે ત્યાં તેર તૂટે' તેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલેથી જ ઓછી આવક અને આર્થિક તંગીનો સામનો કરી રહેલા આ પરિવારને ગુજરાત સરકાર દ્વારા મળેલી સહાયની રકમ રમેશ સરવૈયાના બૅન્કના ખાતામાં જમા થઈ હતી, પરંતુ તેમાંથી સવા બે લાખ રૂપિયા કરતાં વધુની રકમ ઉપાડી લેવામાં આવી છે. પોલીસે ફરિયાદ દાખલ થતા તપાસ શરુ કરી છે.

(11:20 pm IST)