Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરેન્દ્રનગરમા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનઃ દુષ્કર્મ સામે રોષ

વઢવાણ તા. ૨૧: સુરેન્દ્રનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ પીરે તરીકત સૈયદ હાજી યુસુફબાપુની આગેવાનીમાં કાલે મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવીને દુષ્કર્મ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોને કડકમાં કડક સજા આપવાની માંગણી કરવામાં આવી હતી. અને ફાંસીના માંચડે ચઢાવવા આક્રોશભેર રજુઆત કરીને રાષ્ટ્રપતિને કલેકટરશ્રીના માધ્યમથી આવેદનપત્ર પાઠવ્યુ હતું.

સુરેન્દ્રનગર અને ગુજરાત સોૈરાષ્ટ્રના રાહબર હાજી. સૈયદ પિરેતરીકત. હાજી યુસુફ મીયા બાપુ હાજી ઇરફાન બાપુ (ડાડાબાપુ) તેમજ સુરેન્દ્રનગર શહેરના શેરેખિતાબ હાજી હનિફબાપુ ની આગેવાની હેઠળ સર્વધર્મ સમભાવ સાથે તમામ કોમના જ્ઞાતિના રાહબરો સાથે રહી આ બનાવ અને અન્ય જિલ્લામા તાલુકા ઓમા પણ આવા અઘટીત બનેલ ઘટનાને વખોડી કાઢી અને મોૈન રેલી સુરેન્દ્રનગર ના ધીયાવડ ખાતેથી કાઢવામાં આવેલ હતી.

સુરેન્દ્રનગર-વઢવાણના લોક નેતા મોહનભાઇ પટેલ પણ આવી અઘટીત બનેલ  ઘટના ઓના વિરોધમાં જોડાઇ ઘટનાને વખોડી કાઢવામાં આવેલ હતી. ત્યારે સમગ્ર જ્ઞાતિની આ રેલીમાં સમાજના રાહબર હાજી સૈયદ યુસુફમીયાબાપુ સમાજ સેવક મોહનભાઇ પટેલ, મુસ્લીમ સમાજના પેસિમામ હાજી સિકંદરભાઇખોખર ઇરફાન બાપુ મયુદીનબાપુ હાસમભાઇ જામશિગા ભાઇતેમજ અનેક જ્ઞાતિના આગેવાનો જોડાયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.(તસ્વીર અહેવાલઃ ફઝલ ચોૈહાણ- વઢવાણ) (૧.૧૪)

(12:46 pm IST)