Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

દુષ્કર્મની ઘટના સામે ધંધુકામાં આક્રોશભેર મૌન રેલી

ધંધુકા તા.૨૧ : કઠુઆમાં માસૂમ બાળકી આસિફા તેમજ ઉન્નાવ અને સુરતમાં થયેલ બળાત્કારની ઘટનાના  બળાત્કારીઓ  માફીના લાયક નથી. આવા આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે ધંધુકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં ધંધુકા તાલુકાના મુસ્લિમ સમાજના ભાઇઓ  આ મૌન રેલીમાં હાજર રહ્યા હતા. અને દેશમાં બની રહેલી આવી ઘટના સામે આક્રોશ વ્યકત કર્યો હતો. ધંધુકા તાલુકાના મુસ્લિમ સમાજ વિશાળ સંખ્યામાં હાજર રહી બિરલા ચાર રસ્તા થઇ મૌન રેલી નીકળી મામલતદાર કચેરી જઇ આવેદનપત્ર પાઠવ્યુ આપ્યુ હતુ. અને કઠુઆ અને ઉન્નાવ અને સુરતની માસૂમ દિકરીઓને ન્યાય મળે અને દોષિતોને કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી.

(11:29 am IST)