Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગોંડલઃ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના ગુનામાં આગોતરા જામીન રદ

ગોંડલ તા.૨૧: ગોંડલ ગીતાનગર માં વ્યાજખોરોના ત્રાસથી હિતેશભાઇ રાયચુરાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં તેના પત્ની કિરણબેનની ફરીયાદ ઉપરથી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬, ૩૬૫, ૩૨૩, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭, ૧૧૪ ના ગુનાના કામે જયપાલસિંહ ઝાલા અનેધર્મરાજસિંહ ચુડાસમા એ આગોતરા જામીન અરજી ગોંડલની સેશન્સ અદાલતમાં કરેલ જે અરજીના વિરોધમાં મૂળ ફરીયાદી કિરણબેનના ધારાશાસ્ત્રી રવિરાજ ઠકરાર મારફતે સોગંદનામું તથા દલીલના મુદાઓની નોંધ તેમજ સરકારી વકીલ જી.કે. ડોબરીયાની દલીલોને ધ્યાને લઇ એડી. સેશેન્સ જજ જે. એન. વ્યાસે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરેલ હતી.

(11:17 am IST)