Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વાંકાનેરમાં પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા સમૂહલગ્ન

 વાંકાનેરઃ જીનપરામાં પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ - જીનપરા તથા ભૂમિ ગ્રુપ ગોંડલ દ્વારા આયોજીત અગીયારમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ, શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ, રકતદાન શિબિરની પૂર્ણાહુતિ જેમાં બ્લડ ડોનેશનમાં ૨૦ બોટલ બ્લડ એકઠુ થયેલ. છ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ પ્રસંગે વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી, પ.પૂ. સંત શ્રી મહિપતરામ રાધેલાલ નિમ્બાર્ક, લલીતભાઈ મહેતા, વજુભા ઝાલા, જયુભા ઝાલા, કાંતિલાલ ભાટીયા, અમુભાઈ ધનજીભાઈ સંચાણીયા (મેતાજી) સાથે પાલિકાના વોર્ડ નં. ૩ અને ૪ ના મહિલા કાઉન્સીલર હાજર રહી નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યા હતા. સંચાલન એચ.ડી. ધારાસણીયા, જીતુભા ઝાલા, ટપુભાઈ જેઠવા સહિત પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી (તસ્વીર-અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)(૨-૬)

(12:08 pm IST)