Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાનેલી ગામે ડમ્પરની ઠોકરે સતવારા વૃદ્ઘનું મોત

ખનીજ ભરેલા વાહનો મામલે અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય

મોરબી, તા.૨૫:-  પાનેલીના રહેવાસી મીઠાભાઈ હંસરાજભાઈ હડીયલ નામના સતવારા વૃદ્ઘ પોતાના મોટરસાયકલ પર જતા હોય ત્યારે ખનીજ ભરેલા ડમ્પરે તેને અડફેટે લેતા વૃદ્ઘનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું તો આ વિસ્તારમાં ખનીજ ચોરી વ્યાપક થતી હોય જેની અગાઉ અનેક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ફરીથી ખનીજ ભરેલા ડમ્પરે અકસ્માત સર્જતા ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અકસ્માતના કલાકો વીત્યા છતાં મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો બનાવને પગલે તાલુકા પોલીસની ટીમ સ્થળ પહોંચી હતી જોકે ગ્રામજનોએ કલેકટર સ્થળ પર આવીને ખનીજચોરી અંગે કાર્યવાહીની ખાતરીના આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા તૈયાર ના હોવાનું જણાવ્યું હતું અને બાદમાં મામલતદારે સ્થળ પર પહોંચી ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી ગ્રામજનોએ ખનીજ ભરેલા વાહનો બેફામ સ્પીડે દોડતા હોવાનું જણાવ્યું હતું અને ખનીજચોરી રોકવા તંત્ર કડક પગલા ભરે તેવી પણ માંગ કરી બાદમાં સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.  તો બનાવ સંદર્ભે હિતેશ ધરમશી હડીયલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર નં જીજે ૦૩ એટી ૦૬૬૪ના ચાલકે તેનું ડમ્પર પુરઝડપે ચલાવી આર્ગીલ સિરામિક પાસે એકટીવા જીજે ૦૩ એચડી ૧૩૦૩ માં મીઠાભાઈ હંસરાજભાઈ હડીયલ (ઉ.વ.૬૨) વાળા પોતાની વાડીએ જતા હોય જેને હડફેટે લેતા તેનું કરુણ મોત થયું છે તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:29 pm IST)