Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોરબી પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ

લાલપર પાસે કેનાલમાં ડુબી જતા બાળા પુજા નાયક, રંગપર પાસે છત પરથી પટકાતા શ્રમીક રાકેશ પાંડે તથા દાઝી જતા જવીબેન નકુમનું મોત

 મોરબી તા. ૨૫ : મોરબી પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાયા છે. જેમાં બાળકી અને મહિલા સહીત ત્રણના મોત નીપજયા છે.

મોરબીના લાલપર નજીક જય ગણેશ કારખાનામાં કામ કરતા પૂજા સુરેશભાઈ નાયક (ઉ.વ.૧૦) ઙ્ગવાળીનું લાલપર કેનાલમાં ડૂબી જતા મોત થયું છે. જયારે બીજા બનાવમાં મોરબીના રંગપર નજીક વિરાટનગર પાસે કારખાનામાં કામ કરતી વેળાએ ત્રીજા માલની છત પરથી પડી ગયેલા શ્રમિક રાકેશ વિજય પાંડે (ઉ.વ.૩૫) વાળાને ગંભીર ઈજા સાથે રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જયારે ત્રીજા બનાવમાં જવીબેન પરષોતમ નકુમ રહે વનાળીયા વાળી મહિલા કોઈ કારણોસર દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

(4:28 pm IST)