Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જસદણના બોઘરાવદર પાસે મેલડી માતાજી મંદિરે આજથી શિવમહાપુરાણ કથા

રાજકોટ તા.રપઃ જસદણ તાલુકાના ગોલીડા અને બોઘરાવદર ગામ વચ્ચે સીમમાં આવેલ લીંબડીયાવાડી - માળવાળા મેલડી માતાજીના મંદિરે આજથી શિવમહાપુરાણ કથાનો પ્રારંભ થયેલ છે.

મોટી સાણથલી વાળા શાસ્ત્રી શ્રી વિષ્ણુપ્રસાદ ગીરીશભાઇ વ્યાસના વ્યાસાસને આયોજીન શિવમહાપુરાણ કથાની પુર્ણાહુતિ તા.૩૧ના રોજ થશે. કથા શ્રવણ સમય સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે કથાનો પ્રારંભ આજે બપોરે ૩-૦૦ કલાકે બોઘરાવદર ગામે શિવમંદિરેથી પોથીયાત્રા દ્વારા થશે. તા.ર૬ના ચંચુલા દેવીની કથા, તા.ર૭ને બુધવારે સતિ પ્રાગટય તથા નવદુર્ગા તા.ર૮ના રોજ શિવવિવાહ તા.ર૯ને શુક્રવારે ગણેશ પ્રાગટય  તા.૩૦ને શનિવારે બાર જયોતિર્લિંગ પૂજા તથા તા.૩૧ને રવિવારે શિવયજ્ઞ સાથે કથાની પુર્ણાહુતિ થશે.

કથામાં કાલે રાત્રે ૯-૦૦ કલાકે મોવડીનું હરપાલદે બાબરા ભુતનું નાટક યોજાશે. કથા દરમિયાન ભજનીકો દિલીપભાઇ ખાચર, મનુભાઇભટ્ટ, વનરાજભાઇ બારોટ, શ્રીમતિ જીજ્ઞાબેન ગૌસ્વામી સાજીંદા ગ્રુપ મુકેશ જોષીના સંગાથે લોક સાહિત્યની રસલ્હાણ પીરસશે.

મંદિરના ભૂવા મીઠાભાઇ મનજીભાઇ લીંબડીયાએ ગ્રામજનોને કથા શ્રવણનો લાભ લેવા જણાવેલ છે.

(11:47 am IST)