Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ધોરાજીમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇને શ્રધ્ધાંજલી સાથે જૂના સંસ્મરણો વાગોળાયા !!

(ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા. ૩૧:  ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા,  ભોલાભાઇ સોલંકી, ડો.બાલધા, રાજુભાઇ ઘેલાણી, અશોકભાઇ રાખોલીય વિગેરે હાજર રહ્યા હતા.

શ્રધ્ધાસુમન અર્પણ કરવા પ્રસંગે અગાઉ ધોરાજી ખાતે કેશુભાઇ પટેલ ભાવનાબેન ચીખલીયા અને કૃષિમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રકતાતુલા કાર્યક્રમ માનવ સેવા યુવક મંડળ રવિ ગ્રુપ ટ્રસ્ટ તથા સોમનાથ ગ્રુપ દ્વારા યોજાયેલ તે પ્રસંગનો મહા રકતદાન કેમ્પના દિવસના સંસ્મરણો વાગોળીયા હતા.

આ પ્રસંગે ભુપેન્દ્રસિંહની રકતતુલા પ્રસંગે કેશુભાઇએ ધોરાજી સાથે તેનો વર્ષો જુનો નાતો જોડાયો હોવાનું પણ જણાવેલ.

આ મહા રકતદાન કેમ્પમાં ૩૦૦ કિલોથી વધુ રકતદાન એકત્ર થયેલ હોવાનું પણ જણાવાયું છે.

આ મહા રકતદાન કેમ્પમાં સાંસદ હરિભાઇ પટેલ ગોવિંદભાઇ પટેલ, લાલજીભાઇ સાવલીયા, શ્રીમતિ જશુબેન કોરાટ, સહિત હજારો ખેડૂતોએ રકતદાન કર્યું હતું તે પ્રસંગના સંસ્મરણોને માનવ સેવા મંડળે વાગોળયા છે.

(11:30 am IST)