Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ શ્રૃંગારઃ લક્ષ્મીપૂજન ચોપડા પૂજન

વેરાવળ - પ્રભાસપાટણ :.. દિપાવલીના પાવન પ્રસંગે ભકતો સોમનાથ મહાદેવના દર્શન માટે મહેરામણ સ્વરૂપે ઉમટેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરને વીશેષ રંગોળી દિપમાળા વિશેષ શૃંગારથી સુશોભન કરવામાં આવેલ. સાયં આરતી બાદ લક્ષ્મીપૂજન ચોપડા પૂજન કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એકાઉન્ટન્ટ અજયભાઇ દૂબે, ટેમ્પલ મેનેજર ધનંજયભાઇ દવે, ડો. સંજય પરમાર, સહિત ટ્રસ્ટના અધિકારી કર્મચારી ભાવીક ભકતો ઉપસ્થિત રહેલ હતાં. ઉજાસના પર્વે વિશ્વકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી. હર હર મહાદેવનો નાદ પરિસરમાં ગુંજી ઉઠયો હતા. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(11:58 am IST)