Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સોમનાથ મંદિરે ભાવિકોએ ધન્યતા અનુભવીઃ જ્યોતપૂજન-મહાપૂજા-મહાઆરતી

વેરાવળ-સોમનાથઃ દિપોત્સવ ઉત્સવ ની ઉજવણી જયારે દેશભરમાં ચાલી રહેલ છે, નૃત્યમંડપ ખાતે વિશેષ દિપમાલા તેમજ રંગોળી કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ માસિક શિવરાત્રી પરંપરા અંતર્ગત આજરોજ શ્રી સોમનાથ મંદિર ખાતે રાત્રે જયોત પૂજન દાતાશ્રી વેજાણંદભાઇ વાળા તથા જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ. જેમાં તીર્થ પુરોહિતો,દર્શનાર્થીઓ,જોડાયેલ હતા. શ્રી સોમનાથ મહાદેવની રાત્રે ૧૧:૦૦કલાકે વિશેષ મહાપૂજા તેમજ ૧૨:૦૦ કલાકે મહાઆરતી નો લાભ લઇ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી.

(11:52 am IST)