Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વિરપુરમાં જ્યોત્સનાબેન સોલંકીએ ઝેર પીધું: સાસરિયાના ત્રાસનો આક્ષેપ

અગાઉ ત્રાસનો કેસ કર્યો'તોઃ સમાધાન બાદ ફરી હેરાન કરવામાં આવતાં પગલુ ભર્યુઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૧: જેતપુરના વિરપુરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતાં જ્યોત્સનાબેન ધર્મેન્દ્રભાઇ સોલંકી (ઉ.૩૭) નામના રજપૂત મહિલાએ રાતે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરી હતી.

જ્યોત્સનાબેનના પતિને ચાની હોટેલ છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. માવતર સોમનાથ રહે છે અને પિતાનું નામ દલપતભાઇ હિરજીભાઇ ચોૈહાણ છે. જ્યોત્સનાબેનના કહેવા મુજબ પોતાને નાની નાની વાતે ત્રાસ અપાય છે. તેમજ માવતરેથી પૈસા લઇ આવવાનું કહી સાસુ, સસરા, જેઠ સહિતના હેરાન કરે છે. અગાઉ આ કારણે પોલીસ કેસ પણ કર્યો હતો. સમાધાન બાદ ફરીથી પોતે સાસરીયે આવ્યા છે. ત્યાં હવે ફરીથી ત્રાસ શરૂ થતાં કંટાળીને પોતે આ પગલુ ભર્યુ હતું. વિરપુર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)