Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ટંકારા-વાંકાનેર પંથકમાં અકસ્માતમાં બેના મોત

ટંકારા પાસે બે બાઇક અથડાતા રાણેકપરના નરેશ (ઉ.વ.ર૭) અને વાંકાનેરના સજ્જનપર પાસે ઇકોએ બાઇકને ઉલાળતા રાતીદેવડીના માહિનનું મોત

મોરબી, તા., ૩૧: તહેવારોના સપરમાં દિવસોમાં મોરબી જીલ્લાના વાંકાનેર અને ટંકારા પંથકમાં બેસ્થળે અકસ્માત સર્જાયા હતા. જેમાં બે વ્યકિતના મોત થયા છે.

પ્રથમ બનાવમાં ફરીયાદી સરજુભાઇ રામધનભાઇ યાદવે ફરીયાદ નોંધાવી છે કે મોટર સાયકલ ન઼. જી.જે.૦૩ એકયુ ૬૬૮૩ના ચાલકે મોટર સાયકલ પુરઝડપે ચલાવી સામેથી આવતા ફરીયાદી અને સાહેદનામોટર સાયલ નં. જીજે૦૩ બીસી ર૧ર૭ સાથે ભટકાડી અકસ્માત સર્જતા ફરીયાદી સાથે મોટર સાયકલ ચાલક નરેશ રમસુદીન મહેતો (ઉ.વ.ર૭) રહે. હાલ રાણેકપર વાળાને ઇજા થતા મોત થયું છે. તેમજ આરોપી મોટર સાયકલ ચાલકને પણ ઇજા પહોંચી છે. જયારે બીજા બનાવમાં વાંકાનેર વઘાસીયાના રહેવાસી રસુલભાઇ  મહમદભાઇ મોમીને પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ઇકો કાર નં. જીજે ૩૬ એલ ૪૩૩૮ ના ચાલક તૈકુર હુશેન ભોરણીયા રહે. રાતીેદેવડી તા.વાંકાનેર વકાએ ઇકો કાર પુરઝડપે ચલાવી ફરીયાદીના દીકરાના હોન્ડા  સાથે સજ્જનપર પાસે અથડાવી મોટર સાયકલ ચાલક શબ્બીર હુસેનને ઇજા પહોંચાડી તેમજ પાછળ બેસેલ ફરીયાદીના દીકરા માહીનને ઇજા પહોંચતા મોત થયું છે. પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(11:40 am IST)