Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જુનાગઢમાં દિપાવલી પર્વે પુ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ગરીબ બાળકોને કપડા મિઠાઇ ફટાકડાનું વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતીમાં વિતરણ

જુનાગઢઃ શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમનાશ્રી મહંત અને શ્રી પંચદર્શનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા દિવાળીના દિવસે હાજીયાણી બાગ કોલેજ રોડ ખાતે ઝુપડપટ્ટી વિસ્તારમાં બાળકોને ૫૦૦ ગ્રામ મિઠાઇના ૮૦૦ પેકેટ તેમજ ૮૦૦ કપડા જોડી તેમજ ફટાકટાનું ૧ બોકસ ની કિટોનું પુ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા વહિવટી તંત્રના કલેકટર શ્રી સૌરભ પારધી મ્યુ.કમિશ્નર શ્રી તુષાર સુમેરા એસપી શ્રી સૌરભ સિંઘ પત્રકાર મિત્રો તેમજ જશકુભાઇ ડાંગર સહિતની ઉપસ્થિતિમાં તેમના હસ્તે વિતરણ કરાયું હતું આ તકે પુ. ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે આમ તો ગરીબ પ્રભુ કોઇ હોતુ નથી. કોઇ દિલથી ગરીબ હોય નિર્ધન હોય તો આજે આપણે બની શકે તો દિવાળીમાં આ કાર્ય કરી આપણે કર્મનું ભાથું ભરવાનું છે. (અહેવાલ વિનુજોષી તસ્વીર-મુકેશ વાઘેલા. જુનાગઢ)

(11:38 am IST)