Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ભેંસદડ નજીક સીયાવા ચોકડી પાસે ફોર વ્હીલે બાઇકને ઉલાળતા પરસોતમભાઇ ચાવડાનું મોત

પુત્ર પ્રવિણને રાજકોટ ખસેડાયોઃ પિતા-પુત્ર લતીપરથી ભેંસદડ આવતા'તા

રાજકોટ તા. ૩૧: જામનગરના ભેંસદડ નજીક અજાણી ફોર વ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા વૃધ્ધનું મોત નિપજયું હતું. જયારે પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ભેંસદડ ગામમાં રહેતા પરસોતમભાઇ ખીમજીભાઇ ચાવડા (ઉ.વ. ૭પ) ગઇકાલે પુત્ર પ્રવિણ ચાવડા (ઉ.વ. ૩૦) ના બાઇક પાછળ બેસી લતીપરથી ભેંસદડ જતા હતા ત્યારે સીયાવા ચોકડી પાસે અજાણી ફોર વ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા ફંગોળાઇ બંનેને માથાના ભાગે તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, બાદ બંનેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં પરસોતમભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે. કે. પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહે પ્રાથમીક કાગળો કરી ભેંસદડ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:34 am IST)