Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

નામદાર ડો. સૈયદના સાહેબનુ પ્રેરણાદાયી પગલું: વ્હોરા સમાજનાં વડિલો માટે પ્રવાસ

જસદણઃ દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઇ સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો. સૈયદના અબુ જાફરૃંસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફૂદીન તઉશ એ તાજેતરમાં સમાજના સિનિયર સીટીઝન્સ પોતાના રહેઠાણથી દુર ફરવા માટેનો કાર્યક્રમ બનાવી તેને અમલમાં મુકવામાં આવતાં વૃધ્ધો વ્હોરા બિરાદરોમાં ખુશી છવાઇ છે દુનિયાભરના ખુણે ખુણે વસતા વ્હોરા સમાજના સિનિયર સિટીઝન્સને પોતાના છેલ્લા જીવનમાં નિરાંતનો અનુભવ થાય તે માટે માનવતાવાદી ડો. સૈયદના સાહેબે સિનિયર સિટીઝન્સને તમામ પ્રકારની સવલત આપી વિવિધ સ્થળોએ પ્રવાસ કરાવતા આ અંગે તેની અમલવારી સૌરાષ્ટ્રના જસદણ અમરેલી સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર રાજકોટ જામનગર ભાવનગર બોટાદ મોરબી દ્વારકા ગીર સોમનાથ જેવા જિલ્લાથી માંડી વ્હોરા સમુદાયના વસવાટ વાળા ગામે ગામ થતાં સમાજના વૃધ્ધો અને વૃધ્ધાઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઇ છે. (તસ્વીર-અહેવાલઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

(9:52 am IST)