Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ખંભાળિયામાં ૩૦ હજારની લાંચ લેનાર રેલ્વેના અધિકારી જેલ હવાલે

 ખંભાળિયા તા.૩૧: રેલ્વેના સિનિયર એકશન ઇજનેર વિનોદગીરી શંભુગીરી ગોસ્વામીએ એક આસામીનું બે લાખનું બીલ મંજુર કરવા રૂ. ૩૭ હજાર માંગેલા જેના સંદર્ભમાં ૩૦ હજાર લેવા અંગે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ પોલીસ ફરિયાદ કરી હતી તથા એ.સી.બી.ના અધિકારી ચંદુભાઇ સુરેજાએ વિનોદગીરીની ધરપકડ કરીને તેને રીમાંડ પર લઇને તેના બેંકના ખાતા તથા મિલ્કતો અંગે તપાસ કરી હતી જે પછી રીમાંડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો હતો.

તપાસનીશ અધિકારીશ્રી ચંદુભાઇ સુરેજાએ જણાવેલ કે આ રેલ્વેના અધિકારીના પગારબીલ મુજબ તેને પ્રાપ્ત થતો પગાર તથા તેના અને તેના કુટુંબીજનોનાં બેંક ખાતા, તેમણે બતાવેલી સ્થાવર-જંગમ મિલ્કતો અંગેની યાદી તથા વિગતો પ્રાપ્ત કરીને તે અંગે ઊંડી તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જેથી અપ્રમાણસરની મિલ્કત હોય તો તે બહાર આવે.

(4:30 pm IST)