Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઇ તરીકે અરવિંદસિંહ જાડેજા મુકાયા

કડક અધિકારીની વરણીના પગલે ગુન્હેગારોમાં ફફડાટ

રાજકોટ,  તા. ૩૧ : ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઇ તરીકે અરવિંદસિંહ જાડેજાની નિયુકત થયેલ છે.

રાજકોટ રૂરલમાંથી  દ્વારકા જી્લ્લામા હાજર થયેલ પી.એસઆઇ  અરવિંદ સિંહ જાડેજાને અગાઉની પ્રસંશનીય  કામગીરીને  ધ્યાને લઇ એસ.પી. રોહન આનંદે ખંભાળીયાનો ઈન્ચાર્જ પી.આઇ. તરીકે નિમણુંક આપેલ છે.

કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા પી.એસઆઇ અરવિંદ સિંહ જાડેજાએ  રાજકોટ જિલ્લામાં શાપર-વેરાવળ તથા  જસદણમાં સરાહનીય કામગીરી કરી હતી. તેઓની નિમણુંકના પગલે ખંભાળિયા પોલીસ મથકમાં  ગેરકાયદે  પ્રવૃતિઓ  કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:45 pm IST)